રાજકોટમાં ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રૂપાલા દલીતોને મળ્યા, વિવાદ ઉકેલવા પ્રયાસ

09/06/2012 18:43

રાજકોટમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ રૂપાલા સામે ચાલી રહેલા આંદોલનમાં આજે પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ રૂપાલા દલીત નેતાઓ તેમજ દલીતો કાર્યકરોને આજે મળ્યા હતા અને પોતાના વિવાદોનું સમાધાન કરવા માટે જણાવ્યુ હતુ. પ્રદેશ પ્રમુખ રૂપાલા સામે દલીતો સામે ઉચ્ચરણો કરવા બદલ લડત ચાલી રહી છે. 
રૂપાલાએ થોડા સમય પહેલા ઢોર અને દલીત તેમજ નારી નાર વગર ન સુધરે તેવું નિવેદન કર્યુ હતુ. જેનાથી દલીતો ભડક્યા હતા. રાજકોટમાં તેમની સામે વિવિધ કાર્યક્રર્મો પણ અપાયા હતા. આજે રાજકોટ આવેલા રૂપાલાએ દલીતો સાથે બેઠક યોજી હોવાની વિગતો પ્રાપ્ત થાય છે.