સી.આર.સી.નંબર-૪ આર.એમ.સી.રાજકોટ માં શિક્ષક તાલીમ

31/01/2012 10:11

સી.આર.સી.નંબર-૪ આર.એમ.સી.રાજકોટ માં શિક્ષક તાલીમ તા. ૭-૧-૨૦૧૨ ના રોજ યોજવામાં આવેલ. આ તાલીમમાં  ૬૦ શિક્ષકોએ ભાગ લીધેલ. સી.આર.સી.ના તાલીમ હોલ માં એલ.સી.ડી. પ્રોજેક્ટર મારફતે જાયન્ટ વિડીઓ સ્ક્રીન પર બાયસેગ સ્ટુડીઓ ગાંધીનગર દ્વારા તાલીમ નું  જીવંત પ્રસારણ કરવામાં આવેલ. શ્રી દિનેશભાઈ દેશાઈ ના નેતૃત્વમાં  વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ.   સી.આર.સી. કો-ઓરડીનેટર શ્રી કે.જી.પરમાર એ સંકલિત ઉપચારાતમક કાયૅ અને અસરકારક કામગીરી માટે શિક્ષકોને માર્ગદર્શન આપેલ.  શ્રી જુલીબેન જોલાપરા બી.આર.પી.શ્રી શકીલભાઇ આખુનજી, પ્રજ્ઞાબેન પેથાણી વગેરે શિક્ષકોએ તાલીમની કામગીરી કરેલ.